
PM MODI:શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુર ખાતે સભા સંબોધવાના હતા. પહેલાં તેઓ શાહીબાગ સરકીટ હાઉસથી સીધા વિક્રમ મિલ કમ્પાઉન્ડ સભા સ્થળે પહોંચવાના હતા. પરંતુ ગુરુવારે કરેલા રોડ-શોમાં કોંગ્રેસ પાસે રહેલી દરિયાપુર અને જમાલપુર-ખાડિયા બેઠક બાકાત રહી હતી. આ ઉપરાંત અસારવા બેઠકનો સમાવેશ રોડ-શોમાં કરાયો નહોતો. જેને પગલે તેમણે સભા સ્થળે જવા માટે અસારવા, દરિયાપુર અને જમાલપુર-ખાડિયા બેઠકના વિસ્તારો આવરી લેવા રૂટ ચેન્જ કર્યો હતો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2005માં કોર્પોરેશનની ચૂંટણીમાં તેમણે લોક સંપર્ક રાઉન્ડ દરિયાપુરથી શરૂ કર્યો હતો. શાહપુર ચોકમાં તેમણે સભા સંબોધી હતી. આ પછી જ અમદાવાદ કોર્પોરેશનને ભાજપને સત્તા મળી હતી.

જે અત્યારસુધી બરકરાર છે. એ સમયે બેગમ બાદશાહનું રાજ હટાવોના નારા ભાજપે લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભદ્રકાળી મંદિરમાં 16 મિનિટ રોકાયા હતા. જ્યાં 8 મિનિટ સુધી ચરણપાદુકા પૂજા કરી હતી. 17 વર્ષ પછી નરેન્દ્ર મોદીએ કોટ વિસ્તારમાં રોડ-શો કર્યો હતો. મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.