Gujarat:નવસારીમાં ચાલુ કોર્ટે જજ પર હુમલો:હાફ મર્ડરના આરોપીએ આવેશમાં આવીને મહિલા જજ પર પથ્થર ફેંક્યો, સદનસીબે વાગ્યો નહીં, જાપતાની કામગીરી પર સવાલ

Views: 230
0 0
Spread the love

Read Time:2 Minute, 56 Second

Gujarat:નવસારી સેશન્સ કોર્ટમાં આજે સવારે 11:30 વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. જોકે સબનસીબે મહિલા જજને પથ્થર વાગ્યો નહોતો. આ વાત કોર્ટ પરિસરમાં ફેલાતાં આરોપી પર રોષ વરસવા સાથે નવસારી બાર એસોસિયેશને સમગ્ર ઘટનાને વખોડી હતી.

સદનસીબે પથ્થર દીવાલ ઉપર ટકરાયો
2019ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડ, જે મૂળ સુરત રહે છે. તેણે નવસારીના કબીલપોર રહેતા લોકો સાથે મારામારી કરી હતી અને 326ના ગુનાના કામે તેના ઉપર કેસ કાર્યરત છે, જે પૈકી આજે સવારે 11:30 વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.આર. દેસાઈ પર કોર્ટ કાર્યવાહી કરવા દરમિયાન ખિસ્સામાંથી પથ્થર કાઢીને છૂટો ફેંક્યો હતો. જોકે સદનસીબે એ પથ્થર દીવાલ ઉપર ટકરાયો હતો અને મહિલા જજનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના બનતાં કોર્ટ પરિસરમાં એની નિંદા કરવામાં આવી છે. અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ શેખ નામના જજ ઉપર ચંપલ વડે હુમલો કર્યો હતો, જોકે ત્યારે પણ જજને ચંપલ વાગતા બચ્યું હતું.

અગાઉ પણ આ આરોપીએ જજ ઉપર ચંપલ ફેંક્યું હતું
આરોપીએ જેલમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો હતો અને જેલ જપતાની નજર ચૂકવીને કોટરૂમ સુધી પથ્થર લઈ ગયો હતો. આ સમગ્ર મુદ્દે જેલ જાપતાએ પણ આરોપીની ચકાસણી કરવી જોઈતી હતી એવી વાત પરિસરમાં ચર્ચા રહી છે. અગાઉ આ જ આરોપીએ જો જજ ઉપર ચંપલ મારીને હુમલો કર્યો હોઈ, આરોપીની ચકાસણી થવી જોઈએ એવી વાત પણ ચર્ચા રહી છે.

જજ પણ સુરક્ષિત ન હોય તો આમ વ્યક્તિઓની વાતો શું કરવી?: એડવોકેટ
નવસારીના સિનિયર એડવોકેટ પ્રતાપ મહિડાના જણાવ્યા મુજબ, કોર્ટ પરિસરમાં કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિ- જજો સુરક્ષિત ન હોય તો આમ વ્યક્તિઓની વાતો શું કરવી? આજ આરોપીએ અગાઉ પણ એમ.એ. શેખ નામના જજ ઉપર ચંપલ વડે હુમલો કર્યો હતો. ત્યારે જેલ જાપતાની પણ ફરજ બને છે કે તેની ચકાસણી કરીને તેને કોર્ટ રૂમ સુધી લાવવો જોઈએ. આ હુમલાની ઘટનાને બાર.એસોસિયેશન સખત શબ્દોમાં વખોડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed