
Gujarat:ગીરના જંગલોમાં વન્યજીવોના સંરક્ષણ માટે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ગીરના જંગલોમાં સતત થતા કોમર્શિયલ બાંધકામ અને સિંહોની રહેણાક વિસ્તારમાં સતત અવરજવરથી ચિંતિત અરજદારે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી. 1960ના વન્ય જીવ સંરક્ષણના નિયમોનું પાલન ના થતું હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. અરજદારનો દાવો છે કે જંગલમાં કોમર્શિયલ બાંધકામ થતા હોવાથી સિંહો સહિતના વન્ય જીવો પ્રભાવિત થશે.
આ સાથે અરજદારે જંગલ વિસ્તારમાં નિયત કરતા વધારે વોલ્ટની વીજળી ન આપવા અને જંગલ વિસ્તારમાં સિંહની થતી પજવણી અટકાવવા પણ રજૂઆત કરી છે. વર્ષો જૂના કાયદાને બદલી સિંહોના સંરક્ષણ માટે નવા કાયદા બનાવવાની પણ રજૂઆત કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 27 જુલાઈએ હાથ ધરાશે.

Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.