
Ahmadabad:રાજ્યમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું.જણા કારણે સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું.સાબરમતી નદીમાં છોડવામાં આવેલ ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને પાસે બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી પર અસર જોવા મળી હતી.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બ્રિજ બનાવવા માટે સાબરમતી નદીમાં માટી પાથરી દેવામાં આવેલ હતી. માટી પુરાણ કરી પિલર ઊભાં કરવા જમીનના ટેસ્ટિંગની કામગીરી લગભગ અડધેથી વધુ જગ્યા પર પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલ ભાગ તૂટી પડ્યો હતો. બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીના પ્રવાહ સાથે વહી ગયાં હતાં.

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટીની આવકમાં વધારો થયો, જેને પગલે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો અને નદી બંને કાંઠે વહી હતી. સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર પાણી-પાણી થઈ ગયુ હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં લોકો નવા આવેલા પાણીને જોવા માટે રિવરફ્રન્ટ પર ઊમટી પડ્યા હતા. આજે સાબરમતી નદીનો હાલ જે નજારો છે એ પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.