અ’વાદમાં આવાસ યોજનાના મકાન જો હવે ભાડે આપ્યા હશે તો માલિકોની ખેર નથી, AMC એવા પગલાં ભરશે કે હાથ ધોઈ બેસશો, તમે નથી કરી ને આવી હરકત? 

Views: 239
1 0
Spread the love

Read Time:2 Minute, 11 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનુ પણ પોતાનુ ઘર હોય તેવા હેતુથી ચાલી રહેલી મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવામા આવ્યા છે. આ મકાનોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જો કે સરકારે આ માટે કેટલાક નિયમો પણ રાખ્યા છે જેમાના એક નિયમ મુજબ આ મકાન માલિક મકાનને ભાડે આપી શકતો નથી. બીજી તરફ હાલમા 718 જેટલા લોકો ગેરકાયદેસર રીતે ભાડે રહી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.
હવે આ મામલે હાઉસિંગ વિભાગ એકશનમા આવ્યુ છે અને આવા મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી  અને સાથે વર્તમાન પત્રોમાં મકાન માલિકના નામ અને સ્કીમના નામ સાથે જાહેર નોટિસ આપવાનો નિર્ણય લેવમા આવ્યો છે. આ વિશે વાત કરતા હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ કહ્યુ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે હાઉસિંગ કમિટી મળી હતી. આ દરમિયાન નક્કી કરવામા આવ્યુ છે કે જે પણ લોકો ગેરકાયદેસર રહે છે તેમની સામે કાર્યવાહી કરવામા આવે.

મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં 718 જેટલાને તો આ મામલે નોટિસ પણ ફટકારવામા આવી છે. હવે મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આની શરૂઆત પણ શહેરના ગોતા વોર્ડના દ્વારકા સોસાયટીના મકાન માલિક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કરી દેવામા આવી છે. આ સિવાય આવનારા દિવસોમા 4125 જેટલા આવાસ યોજનાના મકાનોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

You may have missed