Gujarat:હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે

Views: 235
0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second

Gujarat:હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. મુખ્યપ્રધાન કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે +91 7030930344 નંબર જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.

જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed