
Ahmedabad:શહેરમાં ઓરી-અછબડાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં ટીબીના વોર્ડમાં પણ ઓરી-અછબડાના બાળ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ઓરી-અછબડાના કેસો સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે WHO દ્વારા તમામ શહેરમાં સરકાર દ્વારા ઓરીના રોગ માટે અલાયદા વોર્ડની રચના કરવા માટે માર્ગદર્શિકા આપી છે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં બાળ દર્દીઓને ટીબીના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ત્યાં હાલ ટીબીના દદર્દીઓ પણ છે.
આથી બાળકોને ટીબીનો ચેપ લાગવાની શક્યતા વધુ છે. બાળ દર્દીના સગાઓએ પણ બાળકોને આ ટીબીના વોર્ડમાં દાખલ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્પોરેટર ઇકબાલ શેખે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી એવી પણ રજૂઆત કરી છે કે, હાલ 9 માસની ઉંમરના બાળકોને ઓરીની વેક્સિન આપવાની કામગીરી સત્વરે કરવી જોઇએ. એટલું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ જે વેક્સિનની ગુણવત્તા બાબતે પણ ચકાસણી કરવી જોઇએ. તેમણે બાળaકો અને જાહેર આરોગ્યના હિતમાં ઓરી-અછબડાના દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.

Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.