Gujarat Elections:શહેર-જિલ્લાના 23 ઉમેદવાર પોતાને જ પોતાનો વોટ નહીં આપી શકે

Views: 223
0 0
Spread the love

Read Time:3 Minute, 58 Second
ઉમેદવારની બેઠક અને રહેણાક અલગ અલગ વિસ્તારમાં આવે છે
નવરંગ સ્કૂલ પરથી તમામ EVMની ફાળવણી કરવામાં આવી
સૂર્ય કિરણોથી​​​​​​​ બગડી જવાનું કારણ આપી EVM ચેક ન કરવા આદેશ જારી કરાયો

Gujarat Elections:શહેર-જિલ્લાની 21 વિધાનસભા બેઠક પરના ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના 23 ઉમેદવાર એવા છે જે પોતાને જ પોતાનો મત નહીં આપી શકે. આ ઉમેદવાર જ્યાં રહે છે તે બેઠક પરથી નહીં, પરંતુ તેઓ બીજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ‘આપ’ના 11, કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારનો સમાવેશ થાય છે.

‘આપ’ના 11, કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારે અન્ય ઉમેદવારોને મત આપવો પડશે​​​​​​

ઉમેદવારનું નામક્યાંથી ઉમેદવારક્યાં મત આપશે
દર્શના વાઘેલાઅસારવાદરિયાપુર
જે.જે મેવાડાઅસારવાઠક્કરબાપાનગર
જગદીશ વિશ્વકર્માનિકોલઠક્કરબાપાનગર
અશોક ગજેરાનિકોલદસ્ક્રોઈ
ગ્યાસુદ્દીન શેખદરિયાપુરજમાલપુર
તાજ કુરેશીદરિયાપુરઅસારવા
શૈલેશ પરમારદાણીલીમડાનારણપુરા
દિનેશ કાપડિયાદાણીલીમડાઅસારવા
બળવંત ગઢવીવટવાસાણંદ
બિપીન પટેલવટવાઅમરાઈવાડી
વિજય બ્રહ્મભટ્ટઠક્કરબાપાનગરબાપુનગર
સંજય મોરીઠક્કરબાપાનગરદસ્ક્રોઈ
ઉમેદવારનું નામક્યાંથી ઉમેદવારક્યાં મત આપશે
ડો. અમી યાજ્ઞિકઘાટલોડિયાએલિસબ્રિજ
લાખા ભરવાડવિરમગામવેજલપુર
કલ્પેશ પટેલવેજલપુરએલિસબ્રિજ
કિરણ પટેલદસક્રોઈઘાટલોડિયા
કાળુ ડાભીધંધુકાધોળકા
વિનય ગુપ્તાઅમરાઈવાડીવટવા
જશવંત ઠાકોરસાબરમતીઅસારવા
હારુન નાગોરીજમાલપુરદાણીલીમડા
ડો.પાયલ કુકરાણીનરોડાઠક્કરબાપાનગર
સોનલ પટેલનારણપુરાએલિસબ્રિજ
હિંમતસિંહ પટેલબાપુનગરનિકોલ

નવરંગ સ્કૂલ પરથી રવિવારે તમામ મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે, આ ઈવીએમ પહોંચાડતી વખતે તમામ ચૂંટણી અધિકારીઓને ચેક કરવા દેવામાં આવ્યા ન હતા. તે બદલ એવું કારણ રજૂ કરવામાં આવ્યું હતું કે, ઈવીએમ ખોલશો અને જો તેના પર સૂર્યના કિરણો પડશે તો તે ખરાબ થઈ જશે. જો કે, આ આદેશ ચૂંટણી અધિકારીઓ સહિતના સ્ટાફમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીપંચની ગાઈડલાઈન હોવાનું જણાવી જાહેરાતને યોગ્ય ઠેરવી હતી.

ઈવીએમ ફાળવતી વખતે અધિકારીઓએ કર્મચારીઓને ઈવીએમ ખોલીને ચેક નહીં કરવા સૂચના આપી હતી. જેનાથી કર્મચારીઓમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. જો કે, આ જાહેરાતની સાથે જ ચૂંટણી અધિકારીઓએ તરત જ એવી પણ જાહેરાત કરી હતી કે, આમ નહીં કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે, આ ઈવીએમ પર જો સૂર્યના કિરણ પડશે તો તે બગડી જવાની દહેશત છે. આ જાહેરાત ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કરાઈ હોવાનું ચૂંટણી અધિકારીઓએ કર્મચારીઓને જણાવ્યું હતું. ઇવીએમની ચકાસણી બેલ કંપની દ્વારા કરાઇ છે તે સમયે સમય સંબંધિત અધિકારીની હાજરી હોય છે. તેની ચકાસણી થયા બાદ તેનો ઉપયોગ થાય છે. ઇવીએમની ફાળ‌વણી સમય તેની ચકાસણીની જરૂર રહેતી નથી. મતદાન મથકની અંદર પોલિંગ એજન્ટોની હાજરીમાં દોઢ કલાક સુધી મોકપોલ થાય છે. એ પછી મતદાન શરૂ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed