
નવરંગ સ્કૂલ પરથી તમામ EVMની ફાળવણી કરવામાં આવી
સૂર્ય કિરણોથી બગડી જવાનું કારણ આપી EVM ચેક ન કરવા આદેશ જારી કરાયો
Gujarat Elections:શહેર-જિલ્લાની 21 વિધાનસભા બેઠક પરના ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના 23 ઉમેદવાર એવા છે જે પોતાને જ પોતાનો મત નહીં આપી શકે. આ ઉમેદવાર જ્યાં રહે છે તે બેઠક પરથી નહીં, પરંતુ તેઓ બીજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ‘આપ’ના 11, કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારનો સમાવેશ થાય છે.
‘આપ’ના 11, કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારે અન્ય ઉમેદવારોને મત આપવો પડશે
ઉમેદવારનું નામ | ક્યાંથી ઉમેદવાર | ક્યાં મત આપશે |
દર્શના વાઘેલા | અસારવા | દરિયાપુર |
જે.જે મેવાડા | અસારવા | ઠક્કરબાપાનગર |
જગદીશ વિશ્વકર્મા | નિકોલ | ઠક્કરબાપાનગર |
અશોક ગજેરા | નિકોલ | દસ્ક્રોઈ |
ગ્યાસુદ્દીન શેખ | દરિયાપુર | જમાલપુર |
તાજ કુરેશી | દરિયાપુર | અસારવા |
શૈલેશ પરમાર | દાણીલીમડા | નારણપુરા |
દિનેશ કાપડિયા | દાણીલીમડા | અસારવા |
બળવંત ગઢવી | વટવા | સાણંદ |
બિપીન પટેલ | વટવા | અમરાઈવાડી |
વિજય બ્રહ્મભટ્ટ | ઠક્કરબાપાનગર | બાપુનગર |
સંજય મોરી | ઠક્કરબાપાનગર | દસ્ક્રોઈ |
ઉમેદવારનું નામ | ક્યાંથી ઉમેદવાર | ક્યાં મત આપશે |
ડો. અમી યાજ્ઞિક | ઘાટલોડિયા | એલિસબ્રિજ |
લાખા ભરવાડ | વિરમગામ | વેજલપુર |
કલ્પેશ પટેલ | વેજલપુર | એલિસબ્રિજ |
કિરણ પટેલ | દસક્રોઈ | ઘાટલોડિયા |
કાળુ ડાભી | ધંધુકા | ધોળકા |
વિનય ગુપ્તા | અમરાઈવાડી | વટવા |
જશવંત ઠાકોર | સાબરમતી | અસારવા |
હારુન નાગોરી | જમાલપુર | દાણીલીમડા |
ડો.પાયલ કુકરાણી | નરોડા | ઠક્કરબાપાનગર |
સોનલ પટેલ | નારણપુરા | એલિસબ્રિજ |
હિંમતસિંહ પટેલ | બાપુનગર | નિકોલ |
નવરંગ સ્કૂલ પરથી રવિવારે તમામ મતદાન મથકો પર ઈવીએમ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે, આ ઈવીએમ પહોંચાડતી વખતે તમામ ચૂંટણી અધિકારીઓને ચેક કરવા દેવામાં આવ્યા ન હતા. તે બદલ એવું કારણ રજૂ કરવામાં આવ્યું હતું કે, ઈવીએમ ખોલશો અને જો તેના પર સૂર્યના કિરણો પડશે તો તે ખરાબ થઈ જશે. જો કે, આ આદેશ ચૂંટણી અધિકારીઓ સહિતના સ્ટાફમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીપંચની ગાઈડલાઈન હોવાનું જણાવી જાહેરાતને યોગ્ય ઠેરવી હતી.
ઈવીએમ ફાળવતી વખતે અધિકારીઓએ કર્મચારીઓને ઈવીએમ ખોલીને ચેક નહીં કરવા સૂચના આપી હતી. જેનાથી કર્મચારીઓમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. જો કે, આ જાહેરાતની સાથે જ ચૂંટણી અધિકારીઓએ તરત જ એવી પણ જાહેરાત કરી હતી કે, આમ નહીં કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે, આ ઈવીએમ પર જો સૂર્યના કિરણ પડશે તો તે બગડી જવાની દહેશત છે. આ જાહેરાત ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કરાઈ હોવાનું ચૂંટણી અધિકારીઓએ કર્મચારીઓને જણાવ્યું હતું. ઇવીએમની ચકાસણી બેલ કંપની દ્વારા કરાઇ છે તે સમયે સમય સંબંધિત અધિકારીની હાજરી હોય છે. તેની ચકાસણી થયા બાદ તેનો ઉપયોગ થાય છે. ઇવીએમની ફાળવણી સમય તેની ચકાસણીની જરૂર રહેતી નથી. મતદાન મથકની અંદર પોલિંગ એજન્ટોની હાજરીમાં દોઢ કલાક સુધી મોકપોલ થાય છે. એ પછી મતદાન શરૂ થાય છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.